Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાતમાં દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. એશિયાઈ સિંહોની 16મી વસતી ગણતરી 10 મેથી 13 સુધી ચાર દિવસ બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રાથમિક વસતી અંદાજ તા.10થી 11 મે અને આખરી અંદાજ તા. 12 થી 13 મેના રોજ હાથ ધરાશે. સિંહોની વસતી ગણતરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે. ગીર અને આસપાસના વિસ્તારમાં આઝાદી અગાઉના સમયમાં સિંહોનો શિકાર થતો હતો. 1913માં એ અંદાજ આવ્યો હતો કે ગુજરાતનું ગોરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યા વધીને માત્ર 20 જ રહી ગઇ છે ત્યારે તેમને બચાવવાની મુહિમ શરૂ થઇ ગઇ હતી.

જેના પરિણામ આજે દેખાઇ રહ્યા છે. 1936ની ગણતરી પ્રમાણે, સિંહોની સંખ્યા 287 હતી.

{ 2005થી 2020 સુધી 15 વર્ષમાં સિંહોની સંખ્યામાં 88%નો વધારો { 2005માં સિંહની સંખ્યા 359 હતી જે વધીને 2020માં 674 થઇ હતી

{ 2015માં 22 હજાર ચો.કિમી.વિસ્તાર 2020માં 30000 ચો.કિમી.થયો

{ ગીર વિસ્તારમાં દર 100 ચો.કિમી.એ 13થી 14 સિંહ વસે છે