બલૂચ નેતા મીર યાર બલોચે બુધવારે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી. તેમણે આ પાછળનું કારણ દાયકાઓથી બલૂચ લોકો સામે માનવાધિકાર ઉલ્લંઘન, અપહરણ અને હિંસા ગણાવી હતી.
મીર યાર બલોચે એક્સપોસ્ટમાં કહ્યું - બલુચિસ્તાનના લોકોએ પોતાનો "રાષ્ટ્રીય ચુકાદો" આપી દીધો છે અને દુનિયાએ હવે ચૂપ રહેવું જોઈએ નહીં. અમારી સાથે જોડાઓ.
તેમણે લખ્યું કે બલૂચ લોકો રસ્તાઓ પર છે અને તેમનો રાષ્ટ્રીય નિર્ણય છે કે બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ નથી અને દુનિયા હવે મૂક પ્રેક્ષક બનીને રહી શકે નહીં.
તેમણે બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે ભારત અને વૈશ્વિક સમુદાય પાસેથી માન્યતા અને સમર્થન માંગ્યું.