પાકિસ્તાને અત્યાર સુધીમાં સિંધુ જળ સંધિની પુનઃસ્થાપના અંગે ભારતને ચાર પત્રો મોકલ્યા છે. NDTVએ સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે આ ચાર પત્રોમાંથી એક ઓપરેશન સિંદૂર પછી મોકલવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ સૈયદ અલી મુર્તઝા દ્વારા ભારતને જળ સંધિ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરતા ચાર પત્રો જળ શક્તિ મંત્રાલયને મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રાલયે તેમને વિદેશ મંત્રાલય (MEA) ને મોકલી દીધા હતા.
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ અંતર્ગત, ભારત સિંધુ જળ વ્યવસ્થાની 3 પૂર્વીય નદીઓના પાણીનો ઉપયોગ કરી શકે છે અને બાકીની 3 પશ્ચિમી નદીઓના પાણી પર પાકિસ્તાનને અધિકાર આપવામાં આવ્યો હતો. હવે, જળ સંધિ સ્થગિત થવાને કારણે, પાકિસ્તાનમાં પાણીનું સંકટ ઉભું થવા લાગ્યું છે.